આપણુ ગુજરાત

GUJARAT CORONA UPDATE: નવા 1101 કેસ, 886 દર્દી સાજા થયા, 1નું મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે સિઝનલ તાવ જેવા થઇ ચુક્યાં છે. સતત વધી તો રહ્યા છે પરંતુ નાગરિકો હવે આ બાબતે પ્રમાણમાં ઓછા ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 1101 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 886 દર્દી કોરોના મુક્ત પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,35,129 દર્દીઓ કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.65 ટકાએ પહોંચ્યો છે. તો શક્ય તેટલો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકાર રસીકરણ પણ યુદ્ધના ધોરણે ચલાવી રહી છે. પ્રથમ અને બીજા ડોઝ બાદ હવે પ્રિકોર્શન ડોઝ પર સરકારનો ભાર વધી રહ્યો છે. આજે રસીના કુલ 3,65,501 ડોઝ આપવામાં આવ્યા હતા.

સરકાર કોરોનાની સારવાર ઉપરાંત કોરોના નિવારણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી પ્રયાસ કરી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 2227 ને પ્રથમ અને 8721 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના તરૂણો પૈકી 429 ને રસીનો પ્રથમ અને 2051 ને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. 46559 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના કિશોરો પૈકી 3504 ને રસીનો પ્રથમ અને 3299 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના 298711 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,65,501 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,49,87,066 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5995 એક્ટિવ કેસ છે. જે પૈકી 15 વેન્ટીલેટર પર છે. જ્યારે 5980 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1235129 નાગરિકો કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. 10965 નાગરિકોનાં કોરોનાથી મોત થઇ ચુક્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 નાગરિકનું મોત થઇ ચુક્યું છે.

Leave feedback about this

  • Rating