આપણુ ગુજરાત

GUJARAT CORONA UPDATE: 979 નવા કેસ, 873 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ હવે સિઝનલ તાવ જેવા થઇ ચુક્યાં છે. સતત વધી તો રહ્યા છે પરંતુ નાગરિકો હવે આ બાબતે પ્રમાણમાં ઓછા ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 979 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 873 દર્દી કોરોના મુક્ત પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,34,243 દર્દીઓ કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.66 ટકાએ પહોંચ્યો છે. તો શક્ય તેટલો કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સરકાર રસીકરણ પણ યુદ્ધના ધોરણે ચલાવી રહી છે. પ્રથમ અને બીજા ડોઝ બાદ હવે પ્રિકોર્શન ડોઝ પર સરકારનો ભાર વધી રહ્યો છે. આજે રસીના કુલ 3,19,537 ડોઝ આપવામાં આવ્યા હતા.

જો કે બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 1948 ને પ્રથમ અને 7127 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના તરૂણો પૈકી 232 ને રસીનો પ્રથમ અને 1540 ને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. 31803 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના કિશોરો પૈકી 3127 ને રસીનો પ્રથમ અને 2921 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના 270839 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,19,537 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 11,46,21,565 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 5781 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 વેન્ટીલેટર પર છે. જ્યારે 5767 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1234243 નાગરિકો કોરોના મુક્ત થઇ ચુક્યાં છે. 10964 નાગરિકોનાં કોરોનાથી મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું જે રાહતના સમાચાર કહી શકાય.

Leave feedback about this

  • Rating